એનપીએસ વાત્સલ્ય યોજનામાં ખાતું કેવી રીતે ખોલાવવું, કયા ક્યાં ડોક્યુમેન્ટ જોડવા ? કેટલું રીટર્ન મળે ?
How to open an account in NPS Vatsalya Yojana, which documents to attach? How much return?
એનપીએસ વાત્સલ્ય યોજના શું છે ? What is NPS Vatsalya Scheme?
NPS Vatsalya Yojana NPS વાત્સલ્ય યોજના બાળકોના ઉજ્વવળ ભવિષ્ય માટે 18 વર્ષથી નાની વયના દરેક માટે આ એક પેંશન યોજના છે 18 વર્ષ બાદ વિદ્યાર્થીઓને નિયમાનુસાર પેંશન રૂપે તમામ લાભો મળવાના શરૂ થશે. NPS વાત્સલ્ય એ તમામ નાગરિકો માટે લાંબા ગાળાના નાણાકીય આયોજન અને સુરક્ષાને પ્રોત્સાહન આપવાના સરકારના પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ પગલું છે અને આપણી યુવા પેઢીના નાણાકીય ભવિષ્યને સુરક્ષિત કરે છે.
18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે છે, જેમાં નામાંકનની સાથે બાળકોને તેમના માતા-પિતાની હાજરીમાં PRAN પણ આપવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય આપણા દેશના નાગરિકોને સુરક્ષિત ભવિષ્ય પ્રદાન કરવાનો છે. વાત્સલ્ય યોજના હેઠળ, માતાપિતા અને વાલીઓ તેમના બાળકો માટે રાષ્ટ્રીય પેન્શન યોજનામાં ખાતું ખોલી શકે છે અને તેમના બાળકો 18 વર્ષની ઉંમર સુધી પહોંચે ત્યાં સુધી દર મહિને અથવા વર્ષે એક નિશ્ચિત રકમનું યોગદાન આપી શકે છે. જ્યારે બાળક 18 વર્ષ પૂર્ણ કરે છે, ત્યારે વાત્સલ્ય યોજનાને નિયમિત રાષ્ટ્રીય પેંશન યોજનાના ખાતામાં રૂપાંતરિત કરી શકાય છે. જેનું સંચાલન બાળક સ્વતંત્ર રીતે કરી શકે છે.
એનપીએસ વાત્સલ્ય યોજનામાં કોણ જોડાઈ શકે ? Who can apply for NPS Vatsalya Scheme ?
બધા સગીર નાગરિકો (18 વર્ષથી ઓછી ઉંમરના) ખાતું સગીરના નામે ખોલી શકાય છે અને માતાપિતા અથવા વાલી દ્વારા સંચાલિત કરી શકાય છે. સગીર લાભાર્થી હશે.
એનપીએસ વાત્સલ્ય યોજનાનું ખાતું ક્યાં ખોલાવી શકાય ? Where to open account for NPS Vatsalya Scheme ?
આ યોજના PFRDA દ્વારા નિયમન કરાયેલ મુખ્ય બેંકો, ઈન્ડિયા પોસ્ટ, પેન્શન ફંડ્સ અને ઓનલાઈન પ્લેટફોર્મ (e-NPS) દ્વારા ખોલી શકાય છે.
https://nps.kfintech.com/registration/subscriberregistration/
https://enps.nsdl.com/eNPS/NationalPensionSystem.html
Link for NPS Vatsalya Related Study:
https://npstrust.org.in/sites/default/files/inline-files/NPS_Vatsalya_English_One_Page_1.pdf
એનપીએસ વાત્સલ્ય યોજનાનું ખાતું ખોલવા માટે કયા ડોક્યુમેન્ટ જોડવા પડશે ? Document require for opening account in NPS Vatsalya Scheme ?
- સગીર બાળકનો જન્મનો દાખલો / L.C
- ગાર્ડિયન KYC માટે વાલીનું આધારકાર્ડ/ચુંટણીકાર્ડ
- વાલીનું પાનકાર્ડ/ફોર્મ નંબર-૬૦
એનપીએસ વાત્સલ્ય યોજનામાં કેટલું રોકાણ કરવું પડશે ? How much invest in to NPS Vatsalya Scheme ?
જેમાં દર વર્ષે રૂપિયા 1000 થી 1,50,000 લાખ સુધી ભરી શકાશે. સબ્સ્ક્રાઇબરે વાર્ષિક રૂ. 1000/-નું લઘુત્તમ યોગદાન આપવું. મહત્તમ યોગદાન પર કોઈ મર્યાદા નથી.
Read Also : Namo Laxmi Yojana Gujarat for Child Girl Rs.50,000/- Advantage
એનપીએસ વાત્સલ્ય યોજનામાં કેટલું રીટર્ન મળવાપાત્ર છે ? How much return in NPS Vatsalya Scheme ?
વાર્ષિક ઓછામાં ઓછા એક હજાર રૂપિયા જમા કરાવી શકે છે અને NPS વાત્સલ્યમાં ત્રણ વર્ષ પછી, ઉચ્ચ શિક્ષણ અથવા અન્ય જરૂરિયાતો માટે 25 ટકા રકમ ત્રણ વખત ઉપાડી શકાય છે. જો તમે એક વર્ષમાં 10 હજાર રૂપિયા જમા કરો છો, તો તમને 18 વર્ષમાં 5 લાખ રૂપિયાની રકમ મળશે. 18 વર્ષના થયા પછી, તે સીધા જ NPSમાં જોડાઈ જશે અને નવી NPS શરૂ કરવાની કોઈ જરૂર રહેશે નહીં.
એનપીએસ વાત્સલ્ય યોજનાનો ઉદ્દેશ શું છે ? What is purpose of NPS Vatsalya Scheme ?
આ યોજનાનો ઉદ્દેશ્ય બાળકોના ભવિષ્યને આર્થિક રીતે સુરક્ષિત બનાવવા દેશના નાગરિકોને, ખાસ કરીને આપણા દેશના યુવાનોને સુરક્ષિત ભવિષ્ય પ્રદાન કરવાનો છે. આ યોજના આપણા દેશના નાગરિકોને તેમના બાળકો માટે સુરક્ષિત ભવિષ્યની યોજના બનાવવામાં મદદ કરશે, જેથી તેઓ તેમના જીવનમાં આગળ વધી શકે અને તેમના સપના પૂરા કરી શકે.
એનપીએસ વાત્સલ્ય યોજનાનું સંચાલન કોણ કરે છે ? Who is operate NPS Vatsalya Scheme ?
આ યોજનાનું સંચાલન પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) દ્વારા કરવામાં આવશે.
Source: Press Information Bureau Government of India નાણા મંત્રાલય
આશા છે કે આ૫ને ઉ૫યોગી થશે.
જો આ૫ને આ બાબતે કોઇ ૫ણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો.
મિત્રો, જો આ માહીતી આ૫ને ઉ૫યોગી થઇ હોય તો બીજા મિત્રોને ૫ણ Facebook/Twitter/Instagram/Whatsapp અથવા eMail ઉ૫ર શેર કરો.